ઉનાળાનું લાંબુ વેકેશન અને લાંબા લાંબા દિવસો! સમય પસાર કરવા માટે આજ ની માફક ત્રીસ -પાત્રીસ સાલ પહેલા?કોંપ્યટર, ટીવી, વિડીયો ગેઇમ જેવી સગવડ તો હતી નહિ! ઘરમાં જ ચેસ, નવ કુકરી, કેરમ, ચોપાટ જેવી રમતો ભાઇ-બહેનો જ મિત્રો બની ને રમતા, ક્યારેક વાચેલુ એક બીજા ને કહેતા તો ક્યારેક કોઇ વિષય નક્કિ કરીને થોડુ થોડુ લખતા?અને પોતાની બૂક સંભાળીને રાખતા, જે માંથી આજે જર જરીત અને માંડ માંડ ઉકેલાતા અક્ષરો ને ઉકેલી ને થોડુ લખી રહી છું, જેનો વિષય છે. ” સાંપ્રદાયીક સ્વતંત્રતાના ગેર લાભ” જો કે હું સાંપ્રદાયીક સ્વતંત્રતા ની વિરુધ્ધ નથી કે નહતી પણ આ તો એક વિષય …………
સ્વતંત્ર ભારતની પ્રજાને સાંપ્રદાયીક સ્વાતંત્ર્ય મળ્યુ છે. સૌ પ્રથમ સંપ્રદાય એ ધર્મની એક શાખા છે, અને ધર્મ એ માણસને માણસ તરીકે જીવવા અને અન્ય પ્રાણી ને જીવાડવા માટે નો મર્ગદર્શક ચિરાગ છે. ધર્મ માનુષી સમાજ ના લોહીમાં વણાયેલ સંસ્કૃતી છે.
દરેક યુગમાં જ્યારે માણસ માંથી માનવિયતા નો લોપ થાય, સાસ્કૃતિક અધઃપતન થાય અને પ્રજા સત્ય-અસત્ય સાચા-ખોટા ના ભેદ સમજવા અશક્ત બને ત્યારે એક યુગપુરૂષ જન્મ લ્યે અને એ સમાજની ઉન્નતી માટે પોતાનું પૂરૂ જીવન ખર્ચીને લોકોનું સમાજનુ માર્ગદર્શન કરે,અને જાતા દહાડે એ યુગપૂરૂષ નુ માર્ગદર્શન એક સંપ્રદાય બની રહે છે. જે તે સમયે જે તે સમાજમાં પ્રવર્તતી ખામીઓ તથા બદિઓ ને દૂર કરવાના પ્રયાસોને અનુલક્ષીને બનાવેલા નિતી-નિયમો સાંપ્રદાયીક રસમ બની રહે છે.
હિન્દુસ્તાન ભાતિગળ સંસ્કૃતિનો દેશ છે અહિ જુદી જુદી જાતની પ્રજા, ભાષા, પહેરવેશ, તહેવાર અને સંપ્રદયો પ્રવર્તે છે.
ભારત જેવા વિશાળ દેશમાં ઉપરોક્ત એક સુત્રતા શક્ય નથી એ સ્વાભવિક છે. પહેલાના જમાનામાં રાજાઓ સંપ્રદાયને રાજ્યાશ્રય આપતા અને રાજ્યમા રહેતી દરેક વ્યક્તિ એ સંપ્રદાય ને અનુસરતી, જેને કારણે પ્રજામા એક સુત્રતા રહેતી અને લોકો વચ્ચે કૌટુંબિક ભાવના પ્રવર્તતી. કારણકે દરેક વ્યક્તિના પહેરવેશ, રીત રિવાજ, તહેવાર તથા નીતિ-નિયમ સરખા હોય મતભેદ ઓછા રહે.અને મતભેદ થી ઉદભવતા અંદરો અંદરની લડાઇ-ઝગડા તેમજ માનસિક તનાવ ને સ્થાન ના માળે .જેથી સમાજ ઝડપથી પ્રગતિ સાધી શકે.
આજે જ્યારે સ્વતંત્રભારતમાં સાંપ્રદાયીક સ્વાતંત્રતા મળી હોય દરેક વ્યક્તિ ઇચ્છે તે સંપ્રદાય અપનાવે, એકજ કુટુમ્બમાં પણ જુદા જુદા સંપ્રદાય ધરાવતી વ્યક્તિ જોવા મળે છે . આના કારણે જુદા જુદા નિતી નિયમથી લોકોમાં મત ભેદ પ્રવર્તે છે. અને તેથી અંદરો અંદર ઝગડા તથા તનાવ પેદા થાય છે. દરેક વ્યક્તિ પોતાને જ અને પોતાના જ સંપ્રદાયને જ સાચો ઠરાવવા તથા અન્ય ને નીચો પાડવાના ખોટા વિખવાદમાં અટવાય છે. અને આમ સમાજની ઉન્નતી તથા પ્રગતીને ફટકો પડે છે.
આજના જમાનામાં ધ્યાન માં આવતી બાબતો, ગુંડા લોકો અને દુષિત રાજકારણીઓ આવી સાંપ્રદાયીક બાબતને લઇને પોતાનો સ્વર્થ સિધ્ધ કરવા માટે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી અંદરો અંદર લડાવીમોટી ખાના-ખરાબી ઉભી કરે છે. અને એ તો સર્વે જાણે જ છે કે બહારની લડાઇ કરતા આંતરિક લડાઇ દેશને અને દેશની હરએક વ્યક્તિને વધારે નુકસાન પહોંચાડે છે .
શાંત અને સ્થીર સમાજ દેશની પ્રગતિ માટે સૌથી મહત્વનું સાધન છે. આજે સમાજમાં ઠેર ઠેર સંપ્રદય શસ્ત્ર બનીગયુ છે, જે ઘણું જ ભય સૂચક છે.