(૧)જય દેવ જય દેવ, મંગલ મૂર્તિ..(ગણેશ સ્તુતિ)અને (૨) દલીલબાજીની નિરર્થકતા (વિણેલ મોતી)

(૧) જય દેવ જય દેવ મંગલ મૂર્તિ … (ગણેશ સ્તુતિ …)


.

.

(૨) દલીલબાજીની નિરર્થકતા …(વિણેલા મોતી)
ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને ઈશ્વર પ્રાપ્ત થયો નથીતે ઈશ્વરના સ્વરૂપ અને અસ્તિત્વ વિશે મિથ્યા વિતંડવાદથી ભરેલો હોય છે. પણ જેને ઈશ્વરદર્શન કર્યું છે તે દિવ્ય આનંદમાં હોય છે.
સામાન્ય જનો ધર્મ સબંધે પટારા ભરીને વાતો કરે છે પણ, એનો અમલ રતીભાર પણ માંડ કરતાં હોય છે. જ્ઞાની બોલે થોડું, પણ એનું આખું જીવન ધર્મની અભિવ્યક્તિ હોય છે.
નાત જમવા બેસે ત્યારે, શરૂમાં ખૂબ અવાજો આવે છે. પણ પીરસાયું અને સૌએ જમવાનું શરૂ કર્યું કે પોણા ભાગનો અવાજ શાંત થઇ જવાનો. મિષ્ટાન પીરસતાં એ વાધારે ઊછો થવાનો અને છેલ્લે જ્યારે છાશ પીરસાય ત્યારે, કેવળ ‘સૂપ સૂપ’ નો જ અવાજ સંભળાય. જમ્યા પછી સૌ પોઢી જવાના !
ઈશ્વરની જેટલી નિકટ તમે જાઓ તેટલાં તમે શંકા કરવાથી અને પ્રશ્નોથી દૂર રહેવાના. એણે તમે પૂરો પામો ત્યારે, એણે સત્ય સ્વરૂપે જુઓ ત્યારે, બધો ઘોંઘાટ, બધી વાદાવાદી, બધાંનો અંત આવેવે જાય છે. પછી નિદ્રાનો સમય છે, અર્થાત્, આનંદનો એટલે કે, સમાધિનો, ઈશ્વર સાથે એકતાનો.
મધમાખી જ્યાં સુધી ફોલની પાંખડીઓથી થોડી દૂર છે અને એણે અંદરનો રસ ચાખ્યો નથી ત્યાં સુધી, ગણગણતી ફૂલની આસપાસ ભમે છે, પણ ફૂલ પર બેસે છે તેવી મૂંગી બની રસ ચૂસે છે. એ જ રીતે, ધર્મના સિદ્ધાંતો લઇ માનસ વિતંડવાડ કરે છે કારણ, એણે ધર્મનું સાચું અમૃત ચાખ્યું નથી. એક વાર એ ચાખ્યા પછી એ મૂક થઇ જાય છે.
બીજી ભાષા શીખતો માણસ, વાતચીત કરતાં એ પરભાષાના શબ્દો વારંવાર પ્રયોજે છે જેઠે પોતાના જ્ઞાનનો આડંબર પ્રગટ કરી શકાય; પણ એ ભાષા સારી રીતે જાણનાર પોતાની માતૃભાષામાં વાત કરતી વકહ્તે બીજી ભાષા ભાગ્યે જ વાપરશે. ધર્મમાં આગળ વાધેલાની વાત ખરે જ આવી છે.
બજારથી દૂર હોઈએ ત્યારે, માત્ર ખોટો શોર જ સંભળાય છે; પણ, નજીક જતાં, એ ઘોંઘાટને સ્થાને ત્યાં થતા સોદાના સપષ્ટ અવાજ સંભળાય છે, તે રીતે, મનુષ્ય જ્યાં સુધી ઈશ્વરથી ખૂબ દૂર હોય છે ત્યાં સુધી, મિથ્યા તર્કના ગૂંચવાડામાં, વ્યર્થ દલીલોમાં અને વાડવિવાદમાં એ સબડે છે. પણ, એક વાર એ ઈશ્વરની સમીપ પહોંચ્યો કે, બધી દલીલો અને ચર્ચા બંધ થઇ જાય છે અને, ઈશ્વરના રહસ્યનું સ્પષ્ટ દર્શન એણે થવાં લાગે છે.
ગરમ ઘીના તાવડામાં કાચી પુરી નાખીએ ત્યારે, એ ‘સડ, સડ’ અવાજ કર છે. પણ એ તલાટી જાય તેમ અવાજ ઓછો થતો જાય છે અને પૂરી તળાઈ ગયે જરાય અવાજ થતો નથી. માણસ પાસે અલ્પ જ્ઞાન હોય ત્યાં સુધી, એ એના બણગાં ફૂંકતો અને એનો બોશ કરતો ફરે છે; પણ સાચા જ્ઞાનની પ્રાપ્તિથી પૂર્ણતા આવે છે. ત્યાર પછી, એ કશો વૃથા શોર મચાવતો નથી.
ઈશ્વરની કૃપા જેની પર ઊતરે તને તરત પોતાની ઊણપો દેખાય છે; આ સમજી, તમારે વૃથા તર્ક કરવો નહીં.
This entry was posted in ગણેશ વંદના ..., ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન, લેખ, વીણેલા મોતી. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>