મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી …(ધોળ-કીર્તન)

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી …(ધોળ-કીર્તન)

.


.

સ્વર: બિમલ શાહ

.

.

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,

યમુનાજી , મહાપ્રભુજી …

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારા આત્મને આંગણે શ્રીમહાકૃષ્ણજી

મારી આંખો દિશે ગિરધારી રે ધારી

મારું તન મન …. ગયું જેને વારી રે વારી ..

મારા શ્યામ મુરારી …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારા પ્રાણ થાકી મને વૈષ્ણવો વ્હાલા

નિત્ય કરતાં શ્રીનાથજી ને કાલા રે વાલા

મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધા છે દર્શન ..

મારું મોહી લીધું મન …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

.

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું

મેં તો ચિત્તડું … શ્રીનાથજીને ચરણે ધર્યું ..

જીવન સફળ કર્યું …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

.

મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે શાધ્યો

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે શાધ્યો

મને ધોળ – કીર્તન કેરો રંગ રે  લાગ્યો

મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો ..

હીરલો હાથ રે લાગ્યો …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

.

આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે

વારે વારે માનવ દેહ કદી ના મળે

ફેરા લખ રે … ચૌરાસીના મારા રે ફળે ..

મને મોહન રે મળે …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારી અંત સમય કેરી સુણો રે અરજી

મેં તો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી

મને તેડા … યમ કેરા કદી ના આવે ..

મારો નાથ તેડાવે …

-મારા ઘટમાં બિરાજતા …

.

મારું મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીના વન ..

મારા પ્રાણ જીવન …

-મારા ઘટમાં બિરાજતા …

.

This entry was posted in કીર્તન, બિમલ શાહ, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

4 Responses to મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી …(ધોળ-કીર્તન)

  1. Ramesh Patel says:

    બસ વારેવારે સાંભળ્યા જ કરીએ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  2. આદરણીય શ્રી રમેશભાઈ,

    પ્રભુનું નામ સાંભળવું ગમે તે જ આપણા સંસ્કાર અને ઈશ્વર કૃપા છે.

    આપના પ્રતિભાવ બદલ આભાર !

  3. આદરણીયશ્રી. અશોકભાઈ

    પ્રભુ ભક્તિમાં આપ સૌને લીન કરી દો છો,

    આપ તો ખરેખર અમને બધાને,

    ” છોડમાં રણછોડના દર્શન કરાવો છો.”

    લિ. કિશોરભાઈ એમ.પટેલ

  4. Priana says:

    mane gamatu bhajan ane gaayak no avaaj pan saras chhe. jay shri krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>