રસોડું તમારો ડૉકટર..(૩)

રસોડું તમારો ડૉકટર..


તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તમે આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.
[૧] રઈ (રાય):
ભોજન સારી રીતે પચતું ન હોય તો અને ભૂખ સારી રીતે ન લાગતી હોય તો ચપટી રઈને શાકમાં નાંખી ખાતા રહેવાથી ભૂખ લાગવા માંડે છે. અને ખાવાનું પચે છે. કારણકે રઈ કબજીયાત દૂર કરે છે. અને પાચક ગુણોથી ભરપૂર હોય છે. શરદી થાય તો રઈને મધમાં મેળવી સૂંઘો. આનાથી શરદી દૂર થઈ જાય છે. કફ દોષથી ઉત્પન્ન શ્વાસ રોગમાં અડધો માસો રાઈને ૧૦-ગ્રામ ઘી અને ૫=ગ્રામ મધમાં મેળવી સવારે – સાંજે થોડા દિવસ ચાટવાથી આરામ મળે છે. આનાથી શ્વાસ રોગનું શમન થાય છે.
કોઈ કારણસર ગર્ભમાં જ બાળક મરી ગયું હોય તો મૃત ગર્ભને સરળતાથી બહાર કાઢવા માટે રઈનો ૩ માસો લોટ અને શેકેલી હીંગ લગભગ ચાર રતી  જેટલી થોડી કાંજીમાં પીસી ગર્ભવતીને પિવડાવો. આનાથી મૃત ગર્ભ સ્વાભાવિક રૂપે બહાર નિકળી જાય છે.
બગલમાં ગાંઠ થઈ હોય તો તે જલ્દી પાકીને ફૂટતી નથી. અને અસહ્ય વેદના થાય છે. ગાંઠને જલદી પકવી ફૂટે તે માટે ગોળ, ગુગળ અને રઈને મેળવી પીસી ગરમ કરીને ચોંટાડી દો. ગાંઠ પાકી ગઈ હોય તો રઈ, લસણને વાટી પોટલી બનાવો. અને ગાંઠ પર એરંડીયાનું તેલ અથવા ઘી લગાવી પોટલી બાંધી દો. આનાથી ગાંઠ જલ્દી ફૂટી સુકાઈ જાય છે. શરીરનાં કોઈ પણ ભાગ પર ગાંઠ થઈ હોય અને તે દિન પ્રતિદિન વધી રહી હોય તો તેનાં પર રઈ અને કાળાં મરીનાં ચૂરણને ઘીમાં મેળવી લેપ કરો. આનાથી ગાંઠ વધતી રોકાય છે.
જે બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરે છે. તેમને ૩-માસો રઈનું ચૂરણ જમ્યા પછી ઠંડા પાણી સાથે આપો. દાંતમાં દુખાવો હોય તો રઈને ગરમ પાણીમાં મેળવી કોગળા કરવા આનાથી દાંતનું દરદ મટી જાય છે.
[૨] કલૌંજી :
શરીરનાં કોઈપણ ભાગમાં મસો હોય અને તેનાથી તમને નુકશાન થઈ રહ્યું હોય અથવા ખરાબ લાગતું હોય અથવા ખંજવાળ હોય તો સિરકામાં કલૌંજી ચૂરણ મેળવી મસા પર લગાવો. થોડા દિવસનાં પ્રયોગથી મસા કપાઈ જાય છે. ગુર્દા અને મૂત્રાશયની પથરીથી તમે દુ:ખભર્યું જીવન જીવી રહ્યાં હોય તો કલૌંજીને પાણીમાં પીસી મધમાં મેળવી પી જાવ. થોડા દિવસનાં પ્રયોગથી પથરી નિકળી જાય છે.
શિયાળાની ઋતુ ગયા પછી ગરમ ઉનનાં કપડાને જ્યારે તમે કબાટમાં મુકો ત્યારે કલૌંજીનાં કેટલાંક દાણા પણ કપડાની ગડીમાં નાખી દો. આનાથી તેમાં કીડા લાગતાં નથી. એડકી આવવાની બીમારી હોય તો ત્રણ ગ્રામ કલૌંજી ચૂરણ મધમાં મેળવી ચાટો. આનાથી એડકી આવવી બંધ થઈ જાય છે.
વાળ ખરવાની અથવા તૂટવાની ફરિયાદ હોય તો કલૌંજીને વાટી વાળનાં મૂળમાં ઘસો અને એકાદ કલાક પછી વાળ ધોઈ નાંખો. આ પ્રયોગ થોડા મહિના સુધી કરવાથી વાળનું ખરવું રોકાઈ જાય છે અને તે ફરીથી વધી લાંબા થઈ જાય છે
કૂતરૂ કરડ્યું હોય તો કલૌંજીનો હલવો બનાવી ખાવાથી કૂતરાનું ઝહેર નષ્ટ થઈ જાય છે. આ હલવાને ખાવાથી પેટનો વાયુ, પેટનાં કીડા, પેટનો આફરો અને કફ રોગ શાંત થઈ જાય છે.
[૩] નાની ઈલાયચી :
પેશાબ ખુલીને ન થઈ રહ્યો હોય તથા મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય તો નાની ઈલાયચીનાં દાણા વાટી દૂધની સાથે પીવું જોઈએ. આનાથી પેશાબ ખુલીને થાય છે અને બળતરા શાંત થાય છે. ભોજન પચતું ન હોય તો નાની ઈલાયચીનાં બીજ, સૂંઠ, લવિંગ અને જીરૂ આ બધાને સમમાત્રામાં લઈ ઝીણું વાટી ચૂરણ જેવું કરી જમ્યા પછી 2 ગ્રામની માત્રા ખાવી. આનાથી ભોજન પચી જાય છે.
પેટમાં દુખતું હોય તો બે નાની ઈલાયચી વાટી મધ સાથે ચાટો આનાથી પેટ દરદ ઠીક થઈ જાય છે. દૂધ વધારે પીવાને કારણે અથવા કેળા વધુ ખાવાને કારણે અજીર્ણ થયું હોય તો નાની ઈલાયચીનાં દાણા ખાવાથી આરામ થઈ જાય છે.
[૪] મોટી ઈલાયચી :
મોટી ઈલાયચીનાં દાણાનાં ચૂરણને સાકર સાથે ચૂસવાથી વાત, કફ અને પિત્ત તેમજ ખાંસીમાં તરત જ આરામ મળે છે. મોટી ઈલાયચીને થોડું બાળી વાટી લો. ઉલ્ટી રોકવા માટે આ ઉત્તમ ઉપાય છે. આ ચૂરણને ત્રણચાર કલાકની અંદર બે-ત્રણ વાર ચાટવાથી ઉલ્ટી રોકાઈ જાય છે. મોટી ઈલાયચીનાં છોતરાને કૂટી ૧૨૫ ગ્રામ પાણીમાં ઉકાળી પીવાથી એડકીઓ બંધ થઈ જાય છે.
[૫] ખસખસ :
બે ચમચી ખસખસ સાંજે પાણીમાં પલાળી દો. સવારે આને વાટી સાકર મેળવો. અને પાણીમાં ઘોળી પી જાવ. આનાથી મગજની ગરમી શાંત થાય છે. ખસખસની ખીર ખાવાથી શક્તિ વધે છે. બે ચમચી ખસખસ પાણીમાં નાખી પીસી લો. અને ચર્તુર્થાંસ કપ દહીં મેળવી ૬ – ૬ કલાકે દરરોજ ત્રણવાર સેવન કરવાથી ઝાડા અને મરડો મટી જાય છે.
ડૉ. ઉમા સરાફ [યોગ સંદેશ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર)
This entry was posted in દાદીમાની રસોઇ, દાદીમાનુ વૈદુ, રસોડાની ટીપ્સ. Bookmark the permalink.

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

One Response to રસોડું તમારો ડૉકટર..(૩)

  1. Ramesh Patel says:

    સરસ જીવનોપયગી લેખ,ાભિનંદન.
    રસોડું એ તમારો ડોક્ટર..અમૂલખ વાત વાંચી આનંદ થયો.
    આપનો બ્લોગ એક સંસ્કાર વાંચન સાહિત્યથી શોભતો લાગ્યો.
    મને ખૂબજ પસંદ પડ્યો.
    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>